અમદાવાદ શહેરમાં 1 એપ્રિલથી 15 મે સુધીમાં કુલ 100 લોકોએ વિવિધ કારણોસર આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં નોંધાયું છે. બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષ અને દિલ્હીમાં બિઝનેસમેન પુનિત ખુરાનાની આત્મહત્યાએ દેશભરમાં ચકચારી મચાવી હતી. બંનેએ પત્ની સાથેના અણબનાવના કારણે અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચા છે.

