કોંગ્રેસ દ્વારા પ્રથમ વખત પ્રમુખ બનાવવા માટે કાર્યકરોનું મંતવ્ય અને મિટિંગ નોકાર્યક્રમ ગોઠવીને કોન્સેન્સ લેવાયો હતો. જેમા પ્રદેશમાંથી વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને મહારાષ્ટ્રના ધારાસભ્ય માજી મંત્રી અસ્લમભાઇ શેખ હાજર રહ્યા હતા. જેમની સાથે કોંગ્રેસના માજી વિપક્ષના નેતા અને જિલ્લા પ્રમુખો તાલુકા પ્રમુખોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તમામ લોકોએ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલ હુમલામાં મૃત્યુ પામનાર લોકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું.

