Corona news: છેલ્લા ઘણા દિવસોથી દેશમાં અને ગુજરાતમાં કોરોના વાયરસનો ધીમો અને મક્કમગતિએ પગપેસારો થઈ રહ્યો છે. જો કે, ત્રણેક વર્ષના લાંબા સમય બાદ આવવાથી લોકોમાં પણ કોરોનાનો ડર રહ્યો નથી. પરંતુ કોરોનાના કેસો વધતા તબીબોમાં ચિંતા ફેલાઈ છે. રાજકોટ, નડિયાદ, આણંદ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં કોરોના વાયરસના કેસો વધ્યા છે.

