કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેંશનર્સને મોંઘવારી ભથ્થામાં બે ટકા વધારી દેવાની જાહેરાત કરી છે. જે 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે. આનાથી કર્મચારીઓ અને પેંશનર્સની માસિક આવકમાં વધારો થશે અને સરકારી ખજાના પર વાર્ષિક 6,614.04 કરોડ રૂપિયાનો વધારાનો ભાર પડશે.

