
દાહોદ મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મંત્રી પુત્ર કિરણ ખાબડ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધાનપુરના લવારીયા ગામમાં મનરેગા યોજનામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. 79 કામો પૈકી 21 કામો કર્યા વગર નાણા મેળવી લીધા છે. જામીન ઉપર છૂટ્યા બાદ તરત પોલીસે અટકાયત કરી છે. બંને મંત્રી પુત્રોના જામીન મામલે પોલીસે ઉપલી કોર્ટમાં અરજી કરી છે. જામીન રદ્દ કરવા રિવિઝન્લ અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
કોર્ટે આજે જ બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજુર કર્યા હતા
દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડના બંને પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ કરાયા બાદ આજે દાહોદ ચીફ કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજુર કર્યા હતા. ધાનપુર, દેવગઢબારિયામાં મનરેગા યોજનામાં કૌભાંડ બચુ ખાબડના બંનેનું સામેલ છે.