ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે અમદાવાદની પ્લેન દર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેને ભારત પ્રત્યે ખૂબ પ્રેમ છે પરંતુ હવે એર ઈન્ડિયામાં મુસાફરી કરતો કદાચ તે નહીં જોવા મળે. અમદાવાદની દુર્ઘટના બાદ વોર્નરે નિર્ણય લીધો છે કે તે હવે ક્યારેય એર ઈન્ડિયામાં મુસાફરી નહીં કરે. વોર્નરે એક પછી એક દુર્ઘટનાઓને લઈને આ નિર્ણય લીધો છે. ડેવિડ વોર્નરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પ્રકારની વાતો કરી છે.

