'ભારત રત્ન' ડો. એપીજે અબ્દુલ કલામ આઝાદ, જેમને 'મિસાઈલ મેન' તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની વાર્તા આપણે ખૂબ જ ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા જઈ રહ્યા છીએ. ભારતના 11મા રાષ્ટ્રપતિ પર એક બાયોપિક બનવા જઈ રહી છે જેમાં તમિલ સુપરસ્ટાર ધનુષ જોવા મળશે. અબ્દુલ કલામની બાયોપિકનું દિગ્દર્શન 'આદિપુરુષ' નો દિગ્દર્શક ઓમ રાઉત કરશે.

