નવસારી શહેરમાં હીરા ઉદ્યોગની મંદીએ રત્ન કલાકારોની જિંદગી મુશ્કેલ બનાવી છે. છેલ્લા છ મહિનામાં આર્થિક સંકટને કારણે 10થી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે. તાજેતરમાં વિજલપોર વિસ્તારમાં 35 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં હીરા ઉદ્યોગની મંદીની અસર વ્યાપક બની છે.

