સુરતના હજારો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્ન કલાકારો હાલ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. આવા સંજોગોમાં તેમના બાળકોના ભવિષ્ય માટે રાજ્ય સરકારે જાહેર કરેલા શિક્ષણ પેકેટમાં પૂરતું લાભ મળતો ન હોવાનું જણાવતાં સુરત ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી શૈક્ષણિક સહાય યોજના બદલાવવાની માંગણી કરી છે.

