સુરતના હીરાના હબ ગણાતા મહિધરપુરા વિસ્તારમાં કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ઘણા વર્ષોથી હીરા માર્કેટમાં દલાલી કરી વિશ્વાસ પામેલો રવિકુમાર ઉર્ફે રવી ચોગઠ ગણેશભાઈ વઘાસીયાએ 14 અલગ-અલગ હીરા વેપારીઓ પાસેથી વેચાણ માટેના બહાને કિંમતી હીરા મેળવી કરોડોની છેતરપિંડી આચરી છે.

