એક્ટર સુશાંત સિંહ રાજપુતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની મોતનો કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.આ મામલે મુંબઈ હાઈકોર્ટે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેને ક્લિનચીટ આપી છે. હાઈકોર્ટે ઠાકરેને ક્લિનચીટ આપતાં કહ્યું કે,દિશા સાલિયાનની મોત કોઈપણ પ્રકારનું ષડયંત્ર નથી. આ આપઘાતનો મામલો છે. હાઈકોર્ટની ક્લિનચીટ મળતાં જ મહાવિકાસ અઘાડી, શિવસેના (યુબીટી)ના નેતાઓએ ભાજપને આદિત્ય ઠાકરેની માફી માગવા કહ્યું છે.

