અમદાવાદમાં દરરોજ સરેરાશ 223 વ્યક્તિને શ્વાન કરડે છે. વર્ષ 2020ની સરખામણીએ વર્ષ 2024માં અમદાવાદમાં શ્વાનના કરડવાના કેસમાં 60 ટકા જેટલો વધારો નોંધાયો છે. અમદાવાદમાં વર્ષ 2020માં શ્વાન કરડવાની 39357 ઘટના નોંધાઈ હતી. જેની સરખામણીએ 2021માં સાધારણ ઘટાડો થયો હતો, પરંતુ 2022થી આ ઘટનામાં સતત વધારો થયો છે.

