ગુજરાતના અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ગુરુવારે (12 જૂન) 1:40 વાગ્યે દુઃખ ઘટના સર્જાઈ હતી. પ્લેનમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. પ્લેન ક્રેશ દુર્ઘટનાની આપત્તિજનક સ્થિતિમાં મૃતકો અને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ નજીક થયેલી વિમાન દુર્ઘટનામાં મોટાપાયે જાનહાનિ થઈ છે. આ ગંભીર પરિસ્થિતિમાં લોકોના જીવન બચાવવા માટે રક્તદાન કરવાને લઈને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જેમાં ચાર બ્લડ ડોનેશન સેન્ટર પર લોકો બ્લડ ડોનેશન કરી શકશે.

