સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૬૪મું સફળ અંગદાન થયું હતું. મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના વતની અને સુરત ઉધના વિસ્તારમાં રહેતા શર્મા પરિવારના બ્રેઈનડેડ મનોજકુમારની બે કિડની અને એક લીવરનું દાન થતા ત્રણ જરૂરિયાતમંદને નવજીવન મળશે. બે બહેનો અને પાંચ ભાઈઓમાં સૌથી મોટાભાઈ મનોજકુમારના ત્રણ અંગોનો દાનથી ત્રણને નવજીવન મળશે.

