રાજસ્થાનના ભીલવાડામાં શુક્રવારે 4 જૂલાઈએ રાત્રે કાર અને લારી વચ્ચે થયેલી નજીવી ટક્કર બાદ ટોળાએ કારચાલકને ઢોર માર માર્યો હતો. જેમાં કારચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક ટોંકના કેન્ટોનમેન્ટ ટાઉનનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. છે. આ ઘટના બાદ શહેરમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો. બજારો બંધ રહી હતી અને ગુસ્સે ભરાયેલા લોકોએ મોડી રાત સુધી પોલીસ સ્ટેશનની બહાર ધરણા કર્યા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે આ વિસ્તારમાં પોલીસની ટીમ તહેનાત કરાઈ હતી.

