પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ ચારેકોર થઈ રહી છે અને આતંકવાદીઓ તથા આતંકી કનેક્શન શોધવા માટે દેશભરમાં તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં એનઆઈએ દ્વારા મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. બે વર્ષ પહેલાં મુન્દ્રા પોર્ટ ખાતે પકડાયેલા ૨૧,૦૦૦ કરોડ રૂપિયાના ૩૦૦૦ કિલો ડ્રગ્સના કેસનું પહેલગામ આતંકવાદી હુમલા સાથે જોડાણ હોવાનું એનઆઈએ દ્વારા જણાવવામાં આવ્યું છે.

