
Taiwan Earthquake: તાઈવાન દેશમાં એકવાર ફરી ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની જાણકારી અમેરિકી ભૂર્ગભીય સર્વેક્ષણે આપી છે. કેન્દ્રીય હવામાન તંત્ર દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર હુઆલિએન શહેરથી આશરે 71 કિલોમીટર દક્ષિણમાં 31.1 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. દ્વીપના વધુ ભીડભાડ ધરાવતા પશ્ચિમ ભાગની સરખામણીમાં હુઆલિએન શહેરની વસ્તી ઓછી છે. રાજધાની તાઈપેમાં ઈમારતો આશકે એક મિનિટ સુધી ધ્રૂજતી રહી હતી.
ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી
તાઈવાન દેશમાં આવેલા ભૂકંપમાં કોઈ મોટા નુકસાનના તાત્કાલિક કોઈ અહેવાલ નથી. ભૂકંપની દ્રષ્ટિએ તાઇવાન ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. અહીં વારંવાર ભૂકંપ આવે છે. આ વર્ષે 9 એપ્રિલે તાઇવાનની રાજધાની તાઇપેઈમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી.
તાઈવાનમાં સતત ભૂકંપ આવતા રહે છે
તાઈવાનમાં સૌથી ભયંકર ભૂકંપ 21 સપ્ટેમ્બર 1999ના રોજ આવ્યો હતો, જેની તીવ્રતા 7.7 હતી. આમાં 2400 લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ એક લાખ લોકો ઘાયલ થયા હતા. વર્ષ-1900થી 1991 સુધી, દેશમાં દર વર્ષે લગભગ 2200 ભૂકંપ આવ્યા હતા અને તેમાંથી 214 ખતરનાક હતા. વર્ષ 1991થી 2004 સુધી, 18,649 ભૂકંપ આવ્યા હતા.વર્ષ-1999 માં સૌથી વધુ ભૂકંપ આવ્યા હતા અને પૃથ્વી 49,919 વખત ધ્રુજી હતી. વર્ષ 1900થી તાઇવાનમાં 96 જીવલેણ ભૂકંપ આવ્યા છે.
https://twitter.com/PTI_News/status/1932761259906072970
ભૂકંપ શા માટે આવે છે?
પૃથ્વીની બાહ્ય સપાટી ઘણા ટુકડાઓમાં વહેંચાયેલી છે જેને ટેક્ટોનિક પ્લેટ્સ કહેવાય છે. આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, સરકી જાય છે અથવા સરકી જાય છે, ત્યારે પૃથ્વીની સપાટી પર તણાવ ઉત્પન્ન થાય છે. જ્યારે આ તણાવ મર્યાદાથી વધુ વધે છે, ત્યારે ઊર્જા આંચકાના રૂપમાં મુક્ત થાય છે, જેના કારણે ભૂકંપ આવે છે.