પહેલી ટેસ્ટ હાર્યા બાદ શુભમન ગિલ અને ટીમ પર દબાણ હતું. જસપ્રીત બુમરાહ પણ એજબેસ્ટન ટેસ્ટમાં નહતો રમી રહ્યો, ત્યારબાદ ભારતના બોલિંગ અટેક પર પ્રશ્નો ઉભા થયા હતા કે શું તેઓ 20 વિકેટ લઈ શકશે. આકાશ દીપ અને મોહમ્મદ સિરાજે ઉત્તમ બોલિંગના આધારે ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું. આ ટીમ ઈન્ડિયાની એજબેસ્ટનમાં પહેલી જીત છે, અને તેનો શ્રેય એક કે બે ખેલાડીઓ નથી આપી શકાતો. ચાલો જાણીએ ભારતની જીતના 5 ફેક્ટર.

