
કોંગ્રેસે ખાનગી કોલેજોમાં પણ અનામત આપવાની માગ કરી છે. કોંગ્રેસની કોમ્યુનિકેશન સેલના પ્રમુખ જયરામ રમેશે સોમવારે આ ડિમાન્ડ કરી. તેમણે સંસદીય સમિતિની ભલામણનું સમર્થન કરતાં આ માગ કરી જેમાં કહેવામાં આવ્યું છે કે બંધારણના આર્ટિકલ 15(5) હેઠળ ખાનગી કોલેજોમાં પણ ઓબીસી, એસસી અને એસટી વર્ગને અનામત આપવામાં આવે. રસપ્રદ વાત એ છે કે લગભગ 20 વર્ષ પહેલા જ આ મામલો આવ્યો હતો અને બંધારણમાં સુધારા બાદ પણ તત્કાલીન યુપીએ-1 સરકાર આનાથી પાછળ હટી ગઈ હતી. આ સરકારનું નેતૃત્વ કોંગ્રેસ તરફથી જ કરવામાં આવી રહ્યું હતું. યુપીએ સરકારના સમયમાં જ બંધારણમાં 93મો સુધારો થયો હતો, જેમાં આર્ટિકલ 15(5) લાવવામાં આવ્યું હતું.
યુપીએ સરકારે 2006માં આ જોગવાઈ હેઠળ સેન્ટ્રલ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂશન્સ એક્ટ પસાર કર્યો હતો. તેના દ્વારા સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત લાગુ કરવામાં આવી હતી પરંતુ ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ માટે આવી કોઈ જોગવાની નહોતી. જયરામ રમેશે કહ્યું કે 2008માં આ મામલાની સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થઈ હતી, જેને આને અકબંધ રાખ્યો હતો. કોર્ટે એ પણ કહ્યું હતું કે ખાનગી બિનસહાયિત સંસ્થાઓમાં એડમિશન પર અનામતના સવાલ પર પણ વિચાર કરવામાં આવી શકે છે. હવે લગભગ બે દાયકા બાદ કોંગ્રેસે ફરીથી એ માગ ઉઠાવી છે કે ખાનગી સંસ્થાઓમાં એડમિશન પર અનામત લાગુ થાય જેની પર તેણે પોતાના સમયમાં મૌન સાધી લીધું હતું.
કોંગ્રેસે નિવેદન જાહેર કરતાં કહ્યું કે કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ છે કે એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોને બંધારણીય રીતે ખાનગી સંસ્થાઓમાં અનામત મળી શકે છે. 2024ની સામાન્ય ચૂંટણીમાં પણ કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં આ અનામતનું વચન આપ્યું હતું. હવે સંસદીય સમિતિએ પણ આવી જ અનામતની ભલામણ કરી છે તો તે માગને કોંગ્રેસે ફરી માગી છે. આ સમિતિનું નેતૃત્વ કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહ કરી રહ્યાં છે. હાલ દેશની કોઈ પણ ખાનગી શિક્ષણ સંસ્થામાં જાતિગત અનામત લાગુ નથી. જોકે જાણકાર માને છે કે આર્ટિકલ 15 (5) ના વિશ્વાસે જ અનામત લાગુ કરી શકાતી નથી. આવું કરવા માટે વધુ એક કાયદાની જરૂર છે જે તેનું સમર્થન કરે.
જોકે 2002માં એક કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થા સ્થાપિત કરવાનો મૂળ અધિકાર છે. આ સિવાય આ પણ સંસ્થાનો અધિકાર છે કે તે નક્કી કરે કે પ્રવેશ પ્રક્રિયા શું હશે. જાણકાર માને છે કે જે રીતે દેશમાં સ્તરીય ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યા વધી છે. તેને જોતાં વંચિત વર્ગના બાળકોને પણ એડમિશનમાં પ્રાથમિકતા આપવામાં આવે. તેની જરૂર છે. હાલ કોંગ્રેસની માગ પર કેન્દ્ર સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નથી.