ફેમસ સિંગર અભિજીત ભટ્ટાચાર્ય અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવે છે. હવે તે પોતાના એક નિવેદનના કારણે મુશ્કેલીમાં ફસાયા છે. પુણે સ્થિત એક વકીલે ગાયકને કાનૂની નોટિસ મોકલી છે. આ નોટિસ ભટ્ટાચાર્યના વિવાદાસ્પદ નિવેદનને લઈને છે જેમાં તેમણે મહાત્મા ગાંધીને 'પાકિસ્તાનના રાષ્ટ્રપિતા' ગણાવ્યા હતા.

