Home / Entertainment : After ceasefire Amitabh Bachchan shared a post on social media

યુદ્ધવિરામ પછી Amitabh Bachchan એ શેર કરી પોસ્ટ, કહ્યું- 'શૂરવીર યોદ્ધાઓ યુદ્ધમાં પોતાની બહાદુરી...'

યુદ્ધવિરામ પછી Amitabh Bachchan એ શેર કરી પોસ્ટ, કહ્યું- 'શૂરવીર યોદ્ધાઓ યુદ્ધમાં પોતાની બહાદુરી...'

રવિવારે મોડી રાત્રે, મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી પરિસ્થિતિ અને પહેલગામ હુમલા પછી સર્જાયેલા તણાવ પર પ્રતિક્રિયા આપી હતી. આ પહેલા બધા તેમના મૌન પર સવાલ ઉઠાવી રહ્યા હતા. હવે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે અને તણાવ ઓછો થઈ રહ્યો છે. ત્યારે બિગ બીએ ફરી એકવાર પોતાના X એકાઉન્ટ પર વર્તમાન પરિસ્થિતિ વિશે ટ્વિટ કર્યું. બિગ બીએ ટ્વિટમાં રામચરિતમાનસનો પણ ઉલ્લેખ કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બિગ બીએ રામચરિતમાનસનો ઉલ્લેખ કર્યો

ઘણી ટ્રોલિંગ બાદ, બિગ બી હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી પરિસ્થિતિ પર સક્રિય જોવા મળ્યા છે. યુદ્ધવિરામ પછી તેમણે ગઈકાલે મોડી રાત્રે X પર પોસ્ટ કરી. બિગ બીએ તેમની પોસ્ટમાં તુલસીદાસજીના રામચરિતમાનસમાંથી એક પંક્તિ ટાંકીને લખ્યું, 'સૂર સમર કરની કરહીં, કહી ન જાનવાહી આપ.' આ વાક્યનો અર્થ સમજાવતા તેમણે લખ્યું, "આ વાક્યનો અર્થ એ છે કે શૂરવીર યોદ્ધાઓ યુદ્ધમાં પોતાની બહાદુરી બતાવે છે, તેઓ પોતાની બહાદુરીનું પ્રદર્શન કરવા માટે વાતો નથી બનાવતા. આ વાક્ય તુલસીદાસજીના રામચરિતમાનસના લક્ષ્મણ-પરશુરામ સંવાદમાંથી લેવામાં આવ્યું છે, કે બહાદુરો યુદ્ધમાં પોતાનું બહાદુરી બતાવે છે, તેઓ પોતાના મોઢે પોતાના વખાણ નથી કરતા. યુદ્ધમાં સામે દુશ્મનને જોઈને કાયર લોકો જ પોતાની બહાદુરીની બડાઈ મારે છે."

'શૂરવીર યોદ્ધાઓ યુદ્ધમાં પોતાની બહાદુરી બતાવે છે'

આગળ તેમની પોસ્ટમાં, બિગ બીએ તેમના પિતા, કવિ હરિવંશ રાય બચ્ચનની પંક્તિઓનો ઉલ્લેખ કર્યો. આ પોસ્ટ પહેલાં તેમણે શેર કરેલી કવિતા વિશે પણ લખ્યું. તેમણે લખ્યું, "પ્રકાશિત વાક્ય પૂર્ણ છે. જેનો અર્થ એ છે કે યુદ્ધમાં બહાદુરો તેમની બહાદુરી દર્શાવે છે. તેઓ તેમની બહાદુરીના ગુણગાન નથી ગાતા. તે કાયર છે જે ફક્ત દુશ્મનને જોઈને જ તેમની બહાદુરીના નારા લગાવે છે. શબ્દોએ પહેલા કરતાં પણ વધુ મહાન સત્ય વ્યક્ત કર્યું છે. એક કવિ અને તેમનનો દૃષ્ટિકોણ પહેલા કરતાં પણ મહાન. બાબુજીના આ શબ્દો 1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધની આસપાસ લખાયા હતા. આપણે જીત્યા અને વિજયી બન્યા, જેના માટે તેમને 1968માં, એટલે કે લગભગ 60 વર્ષ પહેલાં, પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો. 60 વર્ષ પહેલાનો એક દૃષ્ટિકોણ જે હજુ પણ વર્તમાન પરિસ્થિતિઓમાં શ્વાસ લે છે." આ પહેલા બિગ બીએ એક તસવીર શેર કરી હતી જેમાં તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની એક કવિતા લખેલી હતી.

પહેલગામ હુમલા પર 20 દિવસ પછી પ્રતિક્રિયા આપી

આના એક દિવસ પહેલા, પહેલગામ હુમલાના 20 દિવસ પછી બિગ બીએ પહેલી વાર આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે પહેલગામમાં બનેલી આખી ઘટના લખી હતી અને તેમના પિતા એટલે કે હરિવંશ રાય બચ્ચનની પંક્તિઓ ટાંકી હતી. તેમણે ઓપરેશન સિંદૂર માટે દેશના વડાપ્રધાન અને ભારતીય સેનાની પણ પ્રશંસા કરી હતી.

Related News

Icon