Home / Entertainment : Bollywood condemned the attack.

Pahalgam Terrorist Attack : બોલિવૂડે હુમલાની નિંદા કરી, અક્ષય અને સંજય દત્ત સહિતના કલાકારો ક્રૂરતા જોઈને ભાવુક થયા

Pahalgam Terrorist Attack : બોલિવૂડે હુમલાની નિંદા કરી, અક્ષય અને સંજય દત્ત સહિતના કલાકારો ક્રૂરતા જોઈને ભાવુક થયા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં બનેલી ભયાનક ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. મંગળવારે થયેલા આ આતંકવાદી હુમલામાં 25થી વધું લોકોના મોત થયા છે. આ હુમલાથી બોલિવૂડ સેલેબ્સે પણ દુ:ક વ્યક્ત કર્યું છે. સંજય દત્ત, અક્ષય કુમાર અને અનુપમ ખેરે પોસ્ટ કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. તેમણે પણ આ ભયાનક ઘટના પર પોતાનો ભય વ્યક્ત કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અક્ષયે પ્રાર્થના કરી

અક્ષયે લખ્યું કે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના સમાચાર સાંભળીને તે ચોંકી ગયો. આ રીતે નિર્દોષ લોકોની હત્યા કરવી એ ઘોર બર્બરતા છે. હું પીડિત પરિવારો માટે પ્રાર્થના કરું છું.

https://publish.twitter.com/?url=

#

સંજય દત્તે અપીલ કરી

પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી વખતે સંજયે લખ્યું - તેમણે આપણા લોકોને નિર્દયતાથી મારી નાખ્યા. આ માફ ન કરી શકાય. આ આતંકવાદીઓને જાણવાની જરૂર છે કે આપણે ચૂપ નહીં રહીએ. આપણે આનો યોગ્ય જવાબ આપવો પડશે. હું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, ગૃહમંત્રી અમિત શાહજી અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહજીને વિનંતી કરું છું કે તેમને તેમના કર્મો માટે યોગ્ય સજા આપવામાં આવે.

અનુપમે આંસુ વહાવ્યા

આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા અનુપમ ખેર રડી પડ્યા. તે ભાવુક થઈ ગયા અને બોલ્યા- ખોટું, ખોટું, ખોટું! પહેલગામ હત્યાકાંડ! આજે શબ્દો શક્તિહીન છે! આ સાથે તેમણે વીડિયોમાં કહ્યું- આજે પહેલગામમાં હિન્દુઓ સાથે થયેલા હત્યાકાંડ, જેમાં 27 હિન્દુઓને પસંદ કરી કરીને માર્યા છે, તેનાથી હૃદયમાં દુઃખ તો છે જ, પરંતુ ગુસ્સો અને ક્રોધની કોઈ સીમા નથી.

અજયે પ્રતિક્રિયા આપી

અજય દેવગને પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને લખ્યું- પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચાર સાંભળીને હું ખૂબ જ દુઃખી અને આઘાત પામ્યો છું. જે લોકો આનો ભોગ બન્યા હતા અને તેમના પરિવારો, તેઓ બધા નિર્દોષ હતા. જે બન્યું તે હૃદયદ્રાવક અને સંપૂર્ણપણે અમાનવીય છે. મારી સંવેદના અને પ્રાર્થના તેમની સાથે છે.

 

Related News

Icon