Home / Entertainment : Janhvi Kapoor reacted on vadodara road accident case

'ખૂબ જ ભયાનક અને...' વડોદરા રોડ અકસ્માત કેસ પર જ્હાન્વી કપૂરને આવ્યો ગુસ્સો

'ખૂબ જ ભયાનક અને...' વડોદરા રોડ અકસ્માત કેસ પર જ્હાન્વી કપૂરને આવ્યો ગુસ્સો

સામાજિક હોય કે રાજકીય, બોલિવૂડમાં બહુ ઓછા સેલિબ્રિટી છે જે આ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. તેમાંથી એકમાં જ્હાન્વી કપૂરનું નામ પણ શામેલ છે. તાજેતરમાં, અભિનેત્રીએ વડોદરામાં થયેલા માર્ગ અકસ્માત વિવાદ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શુક્રવારે વહેલી સવારે વડોદરામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો જેમાં એક કાર ચાલકે ત્રણ વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ કિસ્સામાં, ભૂલ સ્વીકારવાને બદલે, તે વ્યક્તિ બેશરમીથી પોતાનો ખુલાસો આપતો જોવા મળ્યો, જેના પછી આ મામલો સોશિયલ મીડિયા પર જોર પકડી રહ્યો છે.

જ્હાન્વી કપૂરને આવ્યો ગુસ્સા

આ બાબતની જાણ થયા પછી, જ્હાન્વી કપૂર પ્રતિક્રિયા આપતા પોતાને રોકી ન શકી. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ હિટ એન્ડ રન કેસ સંબંધિત એક વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, "આ ખૂબ જ ભયાનક અને ગુસ્સો અપાવનારું છે. એ વિચારીને ઘૃણા થાય છે કે કોઈપણ વ્યક્તિ આ પ્રકારના વર્તનથી બચી શકે છે. નશામાં હોય કે ન હોય."

વડોદરા અકસ્માત કેસ શું હતો?

વડોદરામાં હોલિકા દહનના થોડા કલાકો પછી એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું અને તેના પતિ અને પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા. આ અકસ્માત રક્ષિત ચૌરસિયા નામના 23 વર્ષીય યુવક સાથે થયો હતો જે કાયદાનો વિદ્યાર્થી છે. આરોપીએ આ કેસમાં પોતાને નિર્દોષ જાહેર કર્યો છે અને કહ્યું છે કે એર બેગ ખુલવાથી અને કાર સ્પોર્ટ્સ મોડમાં જવાથી અકસ્માત થયો હતો. રક્ષિતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેના પર લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

જ્હાન્વી કપૂરની આગામી ફિલ્મો

જ્હાન્વી કપૂર પાસે ફિલ્મોની લાઈન છે. તેજુનિયર એનટીઆર સાથે સુપરહિટ ફિલ્મ 'દેવરા પાર્ટ 1' માં અને રામ ચરણ તેમજ અલ્લુ અર્જુન સાથે પણ જોવા મળશે. રામ ચરણ સાથેની જ્હાન્વીની આગામી ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ એટલીએ હજુ સુધી અલ્લુ અર્જુન સાથેની તેની ફિલ્મની જાહેરાત નથી કરી.

Related News

Icon