Home / Entertainment : This actress's house was robbed.

આ અભિનેત્રીના ઘરમાં થઈ ચોરી, નોકરાણીએ લાખો રૂપિયાના દાગીના ચોર્યા, પોલીસે કરી ધરપકડ

આ અભિનેત્રીના ઘરમાં થઈ ચોરી, નોકરાણીએ લાખો રૂપિયાના દાગીના ચોર્યા, પોલીસે કરી ધરપકડ

'ગાંધી ફિર આ ગયે', 'મુસાફિર' અને 'પિંકી મોગે વાલી 2' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી નેહા મલિકે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ચોરીનો કેસ દાખલ કર્યો હતો. અભિનેત્રીની ફરિયાદ મુજબ, તેના ઘરમાંથી 34.49 લાખ રૂપિયાના દાગીના ચોરાઈ ગયા અને અભિનેત્રીની માતાએ ઘરની નોકરાણી પર ચોરીની શંકા વ્યક્ત કરી હતી. ઘરમાં ચોરી થયા બાદ નેહા મલિકની માતાએ મુંબઈના ઓશિવારાના અંબોલી પોલીસ સ્ટેશનમાં ઘરની નોકરાણી વિરુદ્ધ FIR નોંધાવી. તેણે શંકા વ્યક્ત કરી કે આ સમગ્ર ઘટના તેના ઘરના નોકર દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. આ કેસમાં નવી અપડેટ એ છે કે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને ચોરાયેલા દાગીના પણ જપ્ત કર્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નેહા મલિકની માતા ગુરુદ્વારા ગઈ હતી

અહેવાલ મુજબ, નેહા મલિકની માતા મંજુ મલિકે રવિવારે તેના ઘરમાં કામ કરતી નોકરાણી સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે જ્યારે શુક્રવારેતે ની ઘરની નોકરાણી કામ પર આવી, ત્યારે મંજુ ઘરને તેના ભરોસે છોડીને ગુરુદ્વારામાં ગઈ. આ પછી શનિવારે તેની નોકરાણી કામ પર આવી નહીં. આવી સ્થિતિમાં તેણે ઘણી વાર તેને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહીં.

મંજુ તેના બેડરૂમમાં ખુલ્લા ડ્રોઅરમાં ઘરેણાં રાખતી હતી

વારંવાર ફોન કરવા છતાં જ્યારે મંજૂની નોકરાણીએ ફોન ન ઉપાડ્યો ત્યારે તેણે જઈને કબાટ તપાસ્યું તો ખબર પડી કે તેના બધા ઘરેણાં ગાયબ હતા. તેણે પોલીસને જણાવ્યું કે તેણે આખા ઘરમાં ઘરેણાં શોધ્યા, પરંતુ જ્યારે ઘરેણાં ન મળ્યા, ત્યારે તેને શંકા ગઈ કે તેની નોકરાણીએ ઘરેણાં ચોરી લીધા હશે અને તે ક્યાંક ગાયબ થઈ ગઈ હશે. મંજુએ જણાવ્યું કે તે પોતાના ઘરેણાં તેના બેડરૂમમાં લાકડાના ડ્રોઅરમાં બેગમાં રાખતી હતી. તેણે ઘણી વાર તેની નોકરાણીની હાજરીમાં પણ સોનું રાખ્યું હતું.

નોકરાણીની કરી ધરપકડ

જ્યારે મંજુને ઘરમાં ઘરેણાં ન મળ્યા, ત્યારે તેણે તરત જ તેની પુત્રી નેહાને જાણ કરી અને કહ્યું કે ઘરેણાંની સાથે કેટલાક પૈસા પણ ગાયબ છે. તેની નોકરાણી સિવાય ઘરમાં બીજું કોઈ આવ્યું કે ગયું નહીં અને કોઈને ખબર નહોતી કે ઘરેણાં ક્યાં રાખવામાં આવ્યા છે. પોલીસે CrPCની કલમ 306 હેઠળ કેસ નોંધ્યો અને શહેનાઝ મુસ્તફા શેખ (નોકરાણી)ની શોધ શરૂ કરી અને તેને અંધેરીના જેબી નગરથી ધરપકડ કરી અને તેની પાસેથી ચોરેલા દાગીના પણ જપ્ત કર્યા છે.

 

Related News

Icon