અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ છે. ત્યારે લંડન જતાં આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે. ત્યારે આ પ્લેન દુર્ઘટનામાં સુરતના બે પરિવાર પણ હતાં. જેમાંના એક અડાજણ વિસ્તારમાં રહેતા ડોક્ટર અને રામપુરા વિસ્તારમાં રહેતું એક પરિવાર પણ આ પ્લેનમાં સવાર હતું.

