અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર એક દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ ગેસના બાટલામાં લાગી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના એવા સમયે બની જ્યારે આજે સાંજે સ્ટેડિયમમાં IPL 2025ની ફાઇનલ મેચ વચ્ચે રમાવાની છે.આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્ટેડિયમની બહાર ફેરિયાઓમાં પણ આગના કારણે નાસભાગ મચી ગઈ હતી.

