Home / India : Fire breaks out on cargo ship off Kerala coast

માલવાહક જહાજમાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા, કન્ટેનર ઉછળીને દરિયામાં પડ્યા, 4 ક્રૂ લાપતા- 5 ઘાયલ

માલવાહક જહાજમાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા, કન્ટેનર ઉછળીને દરિયામાં પડ્યા, 4 ક્રૂ લાપતા- 5 ઘાયલ

કેરળના કોઝિકોડમાં બેપોરના દરિયાકાંઠે એક માલવાહક જહાજમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. સિંગાપોર-ધ્વજ ધરાવતું આ કન્ટેનર જહાજ 270 મીટર લાંબુ છે. આ જહાજ કર્ણાટકથી મુંબઈ તરફ આગળ વધી રહ્યું હતું. જહાજમાં આગને પગલે અનેક વિસ્ફોટો થયા છે. આ વિસ્ફોટોને પગલે જહાજમાં ગોઠવેલા અનેક કન્ટેનરો દરિયામાં પડી ગયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સોમવારે સવારે કેરળના દરિયાકાંઠે સિંગાપોર ધ્વજ ધરાવતું કન્ટેનર જહાજ MV Wan Hai 503 માં આગ લાગવાને કારણે વિસ્ફોટો થયાની જાણ થઈ હતી. આ માહિતી અહીંના સંરક્ષણ જનસંપર્ક અધિકારી દ્વારા આપવામાં આવી હતી. જહાજના નીચલા તૂતક પર વિસ્ફોટની જાણ સૌપ્રથમ સવારે 10.30 વાગ્યે મુંબઈ સ્થિત મેરીટાઇમ ઓપરેશન્સ સેન્ટર દ્વારા કોચી સ્થિત મેરીટાઇમ ઓપરેશન્સ સેન્ટરને કરવામાં આવી હતી. આ જહાજ 270 મીટર લાંબુ અને 12.5 મીટર વ્યાસનું છે અને 7 જૂને કોલંબોથી મુંબઈ માટે રવાના થયું હતું અને 10 જૂને પહોંચવાની અપેક્ષા હતી.
 

ડેકની નીચે વિસ્ફોટ થયો હતો

કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર ડેકની નીચે વિસ્ફોટ થયો હતો. આ જહાજના 4 ક્રૂ ગુમ થયાના અને 5 ક્રૂ ઘાયલ થયાના સમાચાર છે. કન્ટેનર યુક્ત જહાજમાં કુલ 22 ક્રૂ મેમ્બર હતા. ફરજ પરના CGDO ને મૂલ્યાંકન માટે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ન્યુ મેંગલોરથી ICGS રાજદૂત, કોચીથી ICGS અર્ણવેશ અને અગાટ્ટીથી ICGS સચેતને સહાય માટે ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

18 ક્રૂ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા

આ દરમિયાન સંરક્ષણ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કેરળ કિનારે સળગતા (કન્ટેનર) માલવાહક જહાજમાંથી બહાર નીકળેલા 18 ક્રૂ મેમ્બરોને નેવી અને કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.

Related News

Icon