Vadodara News: ગુજરાતના પાદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજમાં ભંગાણ સર્જાયું છે. ભંગાણ થતા વાહનો નદીમાં ખાબક્યા હતા અને જેમાં 9 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો, સરપંચ અને પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી.

