Gambhira bridge Accident: ગુજરાતમાં હવે બિહારવાળી થઇ છે કેમકે, પુલ તૂટવા હવે નવી વાત રહી નથી. અત્યાર સુધીમાં ગુજરાતમાં 15 પુલો તૂટ્યાં છે જે ભ્રષ્ટાચાર થયાની હકીકત રજૂ કરે છે. પ્રજાની સુરક્ષા-સલામતીને બદલે માત્ર ખિસ્સા ભરવાની સત્તાધીશોની બદનીતિને લીધે એક પછી એક દુર્ઘટના થઇ રહી છે. ભ્રષ્ટ સત્તાધીશો, અધિકારી અને મળતિયા કોન્ટ્રાક્ટરોના મેળાપિપણાને લીધે પુલો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ રહ્યાં છે અને નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યાં છે.

