Rajkot news: રાજકોટ જિલ્લામાં આવેલા વિંછિયા તાલુકાના થોરિયાળી ગામની વાડીમાં આવેલા અવાવરુ કૂવામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. રાત્રિના સમયમાં આ વિસ્તારમાં 10 જેટલા જુગારિયાઓ જુગાર રમતા હોવાની વિગતો સામે આવી હતી. જેથી પોલીસ આવી જવાની બીકના લીધે ભાગવના પ્રયાસમાં રાત્રિ દરમ્યાન કૂવામાં પડી જતા મુન્નાભાઈ મમકુભાઈ રાજપરા નામના યુવકનું મોત થયું હતું.

