ગીર સોમનાથ જિલ્લો ભૂતકાળમાં માછીમારોનું હબ ગણાતો હતો તે જિલ્લામાં હાલ માછીમારો નુકસાનીનો ધંધો કરી રહ્યા છે. આ કોઈ કુદરત સર્જિત સમસ્યા નથી, પરંતુ આ માનવસર્જિત સમસ્યા હોવાના માછીમારોએ આક્ષેપ લગાવ્યા છે. ભૂતકાળમાં સમૃદ્ધમાંથી વિપુલ માત્રામાં માછીમારીને કારણે સમગ્ર દેશમાં વેરાવળ બંદર અવ્વલ નંબરે ગણાતુ હતું. પરંતુ કાળક્રમે હાલ આધુનિક ઢબે "લાઈટ ફિશિંગ" અને "લાઈન ફિસિંગ" કરાતું હોવાના કારણે મોટા મોટા વિદેશી હાર્બરોથી નાનામાં નાની માછલી કે જે હજુ વિકાસ પણ ન પામી હોય તેને પકડી લેવાય છે. તેમાં બહારના રાજ્યોના લોકો આવીને ટન જેના કારણે સ્થાનિક માછીમારોને ભારે મહેનત બાદ પણ દરિયામાંથી માછલીઓ મળતી નથી, અને પોતે ખોટનો ધંધો કરવા લાચાર બને છે.

