પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય તણાવ વકર્યો છે. આ રાજકીય સ્થિતિને જોતાં ભાજપ હાઇકમાન્ડે રાષ્ટ્રીય અઘ્યક્ષની ચૂંટણી સ્થગિત કરવા નક્કી કર્યુ છે. જેના પગલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂંકનો મુદ્દો પણ લટકી પડ્યો છે. હવે ક્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ ક્યારે નિમાશે તે નક્કી નથી. આ સ્થિતિને પગલે મંત્રીમંડળના વિસ્તારની વાત પણ પૂર્ણવિરામ મૂકાયુ છે.

