ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે ઉભી થયેલી તણાવભરી સ્થિતીને પગલે ગુજરાતના રાજકારણનું ચિત્ર બદલાયુ છે. ગમે તે ઘડીએ ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણ થાય તે વાત હાલ પડતી મૂકાઇ છે. સાથે સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂંક પણ અનિશ્ચિત બની છે. આ ઉપરાંત મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા હાઇકમાન્ડે નવુ જીલ્લા માળખુ બનાવવા પૂરજોશમાં તૈયારીઓ આદરી હતી પણ આ મુદ્દો યુદ્ધને કારણે રખડી પડ્યો છે.

