Home / Gujarat / Gandhinagar : Agriculture Department orders damage survey due to unseasonal rains

ખેડૂતો માટે સારા સમાચારઃ કમોસમી વરસાદને પગલે કૃષિ વિભાગે નુકસાનના સર્વે માટે આપ્યો આદેશ

ખેડૂતો માટે સારા સમાચારઃ કમોસમી વરસાદને પગલે કૃષિ વિભાગે નુકસાનના સર્વે માટે આપ્યો આદેશ

ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. એવામાં કૃષિ વિભાગે નુકસાનીનો સરવે કરવા માટેનો આદેશ આપ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થવાની આશંકા છે. એવામાં પ્રાથમિક સરવે પૂરો કરીને બે દિવસમાં કૃષિ વિભાગને રીપોર્ટ સબમિટ કરવાનું જણાવવામાં આવ્યું છે. સત્રના અંત સુધીમાં રીપોર્ટ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. મળતી માહિતી મુજબ, કમોસમી વરસાદના કારણે કેરી, ચીકુ જેવા બાગાયતી પાકોમાં મોટાપાયે નુકસાન થયાની આશંકા છે. આ સિવાય મગ, તલના પાકને પણ નુકસાન થયું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કૃષિ વિભાગે આપ્યો સરવેનો આદેશ

છેલ્લાં એક અઠવાડિયાથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. ખાસ કરીને બાગાયતી પાકમાં મોટાપાયે નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવામાં ખેડૂતોની માંગના આધારે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા નુકસાનીના સરવેનો આદેશ આપવામાં આવ્યો છે.  

SDRFના ધારા-ધોરણ હેઠળ કરાશે સરવે

મળતી માહિતી મુજબ, બે દિવસની અંદર અધિકારીઓ પ્રાથમિક રીપોર્ટ સબમિટ કરી દેશે અને આગામી સપ્તાહમાં ફાઇનલ રીપોર્ટ કૃષિ વિભાગને સબમિટ કરશે. આ ઉપરાંત સરવેની કામગીરી SDRF(State Disaster Response Fund)ના ધારા-ધોરણ હેઠળ કરવામાં આવશે. એટલે કે, જે ખેડૂતોના 33%થી વધારે પાકને નુકસાન થયું હશે તેમને વળતર આપવામાં આવશે. 

Related News

Icon