જમ્મુકાશ્મીર પહેલ ગામમાં આતંકી હુમલા બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. અમદાવાદના ચંડોળા તળાવ પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા મામલે GSTVની ટીમ દ્વારા રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ચંડોળા તળાવ પર સંપૂર્ણ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ફેજ 1માં દોઢ લાખ મીટર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે ફેજ 2ની કામગીરી ચાલી રહી છે અને કામગીરી યથાવત રહેશે.

