વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટીનું કાર્યકર્તા સંમેલન કર્યું છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ પર ચાબખા માર્યા હતા અને તેમની પાર્ટીના ઉમેદવાર તરીકે લાલજીભાઈ કોટડીયાને ઘોષિત કરી ત્રિપાંખિયા જંગને બદલે ચાર પાંખિયો જંગ થવાનું એલાન કર્યું છે.

