જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકી હુમલા બાદ પંચમહાલ પોલીસ ધ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગોધરામાં લાંબા સમયથી ૨૩ જેટલા પાકિસ્તાનની નાગરિકો વસવાટ કરતા હોવાનું બહાર આવ્યું છે. લોંગ ટાઈમ વિઝા પર ભારત આવેલા પાકિસ્તાની નાગરિકો સામે પોલીસ જરૂરી કાર્યવાહી કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.

