ગુરુવારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા. એરલાઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં પુષ્ટિ આપી છે કે વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો છે. પીએમ મોદી આજે સવારે ૮:૩૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. પીએમ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને પછી હોસ્પિટલમાં દાખલ ઘાયલોને પણ મળશે.

