અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બી. જે. મેડિકલ કૉલેજના એમબીબીએસના 4 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. કૉલેજના જુનિયર ડૉક્ટર ઍસોસિએશન દ્વારા ઘાયલ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી માફ કરવા માટે ગુજરાત યુનિ.ને રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે યુનિ. દ્વારા એમબીબીએસના 10 અને ફિઝિયોથેરાપીના 1 તેમજ 1 રેસિડેન્ટ ડૉક્ટર સહિત 12 વિદ્યાર્થીઓની સંપૂર્ણ શૈક્ષણિક ફી માફ કરવામાં આવી છે.

