Ahmedabad Plane Crash: ગત રોજ એટલે કે, ગુરુવારે 12મી જૂન સમગ્ર દેશ માટે ગોઝારી સાબિત થઈ હતી. અમદાવાદથી લંડન સીધી નોન સ્ટોપ ફલાઈટ જ્યારે ટૅક્ ઑફના થોડીક સેકન્ડમાં ઉડતું મોત બનીને બી.જે.મેડિકલ કૉલેજના કેમ્પસમાં ધરાશાયી થાય છે ત્યારે વિમાનમાં સવાર તો મૃત્યુ પામે છે પરંતુ અગનગોળો બનેલું આ હતભાગી વિમાને હૉસ્ટેલની મૅસમાં પણ ભારે ખુવારી સર્જી હતી. આ ગોઝારી દુર્ઘટનાને અત્યારે 30 કલાક જેટલો સમય પસાર થઈ ચૂક્યો છે. હવે અહીં ક્રેશ થયેલા વિમાનનાં કાટમાળમાંથી હજી પણ ધૂમાડો નીકળી રહ્યો છે. ત્યાંથી ખૂબ જ ખરાબ દુર્ગંધ આવી રહી છે. વિમાન જે સ્થળે તૂટી પડયું હતું ત્યાં મેડિકલના 30 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેની સારવાર ચાલી રહી છે.

