
Ahmedabad News: અમદાવાદ પ્લેન ક્રેશના દુર્ઘટના બાદ કાટમાળના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પ્લેનની ટેલ લઈ જતા ટ્રકને અકસ્માત નડ્યો હતો. કાટમાળના નિકાલ સમયે પણ વિમાનની ટેલ ફસાઈ ગઈ હતી. પ્લેન ક્રેશ સમયે ટેલ બિલ્ડીંગમાં ફસાઈ હતી જ્યારે ફસાયેલી ટેલને ટ્રકમાં લઇ જતા સમયે ACB ઓફિસ નજીક ઝાડમાં ફસાઈ હતી.
ટેલનો ભાગ ઝાડ સાથે ફસાતા ટેલ ફાટી ગઈ હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા ટેલને હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધીનો રસ્તો બંધ કર્યો છે.