અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત બાદ વિવાદ થયો છે. કડી તાલુકાના બોરીસણા ગામના બે દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને પરિવારની જાણ વગર જ દર્દીઓને સ્ટેન્ટ મુકવામાં આવ્યા હતા. કલાકો બાદ બે દર્દીનું મોત થયું હતું. આ બે દર્દીનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. બીજી તરફ વિવાદમાં ઘેરાયેલી ખ્યાતિ હોસ્પિટલનો સ્ટાફ પણ સતત બીજા દિવસે રજા પર જોવા મળ્યો છે.

