ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ છે, ત્યારે અમરેલી જિલ્લામાં કુલ 114 સામાન્ય અને 193 પેટા મળીને 307 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. જેમાં અત્યાર સુધીમાં 29 ગ્રામ પંચાયતો સમરસ થઈ ચૂકી છે અને હજુ પણ વધુ પંચાયતો સમરસ બને તેવી શક્યતા છે. જ્યારે 163 વોર્ડમાં એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી. તેવામાં લાઠીના પ્રતાપગઢ ગામમાં આઝાદી સમયથી ચૂંટણી થતી ન હોવાનો પૂર્વ સરપંચે દાવો કર્યો છે. આ ગામમાં સમરસથી સરપંચ બિન હરીફ ચૂંટાતા હોવાનું ગ્રામજનોનું કહેવું છે.

