Home / Gujarat / Banaskantha : 4 died as car falls into Narmada Canal in Banaskantha

VIDEO: બનાસકાંઠામાં નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી, ત્રણ બાળકો સહિત 4ના મોત

ગુજરાતના બનાસકાંઠામાં નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક મહિલાની શોધખોળ ચાલી રહી છે. સમગ્ર ઘટનાને પગલે થરાદ નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેનાલમાં કાર ખાબકી, 3 બાળકો સહિત 4ના મોત

બનાસકાંઠામા વાવના દેવપુરા નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 4ના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 3 બાળકો અને એક પુરુષનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, કારમાં સવાર પરિવાર દિયોદરના ભેંસાણા ગામે માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક કાર રોડની સાઈડમાં ઉતરી જતાં કેનાલમાં ખાબકી હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાની હજુ શોધખોળ ચાલી રહી છે. 

TOPICS: Narmada Canal
Related News

Icon