છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખોડિયા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતોની મંજૂરી વગર ખેડૂતોની જમીનમાં પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. જેથી ખેડૂતોએ સુત્રોચ્ચાર કર્યા અને પાઈપલાઈન નાખવાની કામગીરી અટકાવી હતી. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ગ્રામજનો બોલાવતા તેઓ આવ્યા જ નહિ. અગાઉ ખેડૂતોના ખેતરોમાં નાખેલી પાઈપલાઈન લીકેજ થાય છે. ત્યારે ખેતરમાં વાવેલો પાક બગડી જાય છે. ખેડૂતોને ભારે નુકશાન થાય છે. કોન્ટ્રાક્ટરના માણસો ખેડૂતોને ધમકાવી સરકારની મંજૂરી હોવાની ખોટી જાણકારી આપીને ખોદકામ કરતા હતા જેના લીધે હોબાળો મચ્યો હતો.

