
Junagadh Municipal Corporation Elections 2025 : જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ધડાકો થયો છે. કોંગ્રેસના 9 ફોર્મ પાછા ખેંચાતા ભાજપ 8 બેઠકો પર બિનહરીફ જીતી ગયું છે. વોર્ડ-3ના કોંગ્રેસના 4, વોર્ડ-14ના કોંગ્રેસના 4 અને વોર્ડ-12માં કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્યા છે.
વોર્ડ-3ના આ 4 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા
- અમીનભાઈ પીરાણી
- મનજબેન બ્લોચ
- હસીન બેન પઠાણ
- યોગેશ પરમાર
વોર્ડ-14ના આ 4 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા
- ગીરીશ જેઠવાણી
- પ્રવિણાબેન પાણખાણિયા
- આરતીબેન જોશી
- હંસાબેન રાડા
વોર્ડ-12માં આહીર સમાજના ભાજપ-કોંગ્રેસના નેતાઓએ કરી લીધું સમાધાન
જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ-12ના કોંગ્રેસ ઉમેદવારે આશ્ચર્યજનક કારણ આપ્યું.વોર્ડ નંબર-12ના કોંગ્રેસ ઉમેદવાર દિલીપ ગલે કહ્યું કે ભાજપ-કોંગ્રેસ બંને ઉમેદવાર એક જ સમાજ હોવાથી સામસામે લડવાથી વિવાદ ન થાય એટલા માટે મેં ફોર્મ પરત ખેંચવાનો નિર્ણય કર્યો. સમાજની મધ્યસ્થતાથી બેઠક મળી હતી, જેમાં ચિઠ્ઠી ઉછાળી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારમાંથી કોણ ફોર્મ પરત ખેંચશે તે અંગે નિર્ણય લેવાયો હતો. આહીર સમાજના આ ‘સામાજિક ડ્રો’માં ભાજપના ઉમેદવાર જીતી ગયા અને કોંગ્રેસ ઉમેદવાર હારી જતા ફોર્મ પરત ખેંચ્યું હતું.
