શ્રાવણ સુદ પૂનમના દિવસે યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના દર્શન માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે રણછોડરાયજીના દર્શન માટે કરવામાં આવેલા ફેરફારમાં શ્રદ્ધાળુઓ માટેની યોગ્ય વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 19 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે શ્રાવણ સુદ પૂનમ સોમવારની વહેલી સવારે 4:45 મંગળા આરતી કરવામાં આવશે. બીજી તરફ, શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે.

