થોડા દિવસો અગાઉ અંકલેશ્વરની હોટલમાં એક ખાનગી કંપનીના ઈન્ટર્વ્યૂમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યાં હતાં. જેનો વીડિયો વાયરલ થયો હતો. જેથી કોંગ્રેસ દ્વારા રાજ્યની સ્થિતિને લઈને કટાક્ષ કરાયો હતો. તેને લઈને હવે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ગુજરાતને બદનામ કરવાનું આ કાવતરું છે. આજે સાંજ સુધીમાં આ સમગ્ર બાબતે ખુલાસો થઈ જશે.

