
Rajkot news: રાજકોટ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારા ઈન્દિરા સર્કલ પાસે સિટી બસ અકસ્માતને લઈ પોલીસે આખરે બસના ડ્રાયવર શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરી લીધી છે. ગત અઠવાડિયે રાજકોટ શહેરમાં આવેલા ઈન્દિરા સર્કલ પાસે સિટી બસના ડ્રાયવરે પૂરપાટ વેગે દોડાવી ચાર લોકોને અડફેટે લીધા હતા. જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે મોત થયા હતા.
રાજકોટના સરકારી હોસ્પિટલમાં દાખલ સિટીબસના ડ્રાયવર શિશુપાલસિંહ રાણાને રજા મળતાની સાથે ગાંધીગ્રામ પોલીસે ડ્રાયવરની પૂછપરછ કરી લાયન્સ એક્સપાયર થયું હોવા છતાં કોને ડ્રાઈવિંગ કરવા દીધું તે પણ એક સવાલ છે. જો કે, આ અકસ્માતમાં સિટી બસ એજન્સી પણ શંકાના ઘેરામાં છે. મનપા અને પોલીસ એજન્સી વિરુદ્ધ પગલાં લેશે કે કેમ ? સૌ કોઈની નજર.