ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ શૈક્ષણિક વર્ષમાં આરટીઈ હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન અપાયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતની સાત શાળાઓમાંથી જ 100 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કરી દેવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ખોટા દસ્તાવેજી પૂરાવા રજૂ કરીને એડમિશન લેવામાં આવ્યાં હતાં. જેની તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવી છે.

